Tuesday, January 19, 2010

જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે.


પ્રભુ છે અને સર્વત્ર છે. આ તથ્ય આપણે બોલીએ તો છીએ, પણ આપણું આચરણ એવું છે કે જાણે પ્રભુ ક્યાંય છે જ નહિ.    –રવીન્દ્રનાથ ટાગોર


જો તમે મગજને શાંત રાખી શકતા હશો તો તમે જગને જીતી શકશો.   –ગુરુ નાનક


માણસ ચંદ્ર લગી પહોંચ્યો. પણ પૃથ્વી પરના મનુષ્યના હૃદય સુધી પહોંચવાનું હજી બાકી છે.  –ઉમાશંકર જોશી


કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.
–હરીન્દ્ર દવે


જે મિત્ર નથી, તે શત્રુ બનતો નથી પણ જે મિત્ર છે તે જ એક દિવસ શત્રુ બને છે.
–ડૉંગરે મહારાજ


ધનસમૃદ્ધિ માણસને બદલી નથી નાખતી, પણ માણસનું અસલ સ્વરૂપ પ્રગટ કરી દે છે.
–થોમસ પેઈન


ભૂલોને આવતી રોકવા બધાં બારણાં બંધ કરી દેશો તો પછી સત્ય ક્યાં થઈને આવશે ?
–રવીન્દ્રનાથ ટાગોર


હું ભવિષ્યનો વિચાર કરતો નથી, કારણ હું વિચાર કરું એ પહેલાં તો એ આવી જાય છે.
–આલબર્ટ આઈન્સ્ટાઈન


જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા પડાતું નથી.  –શ્રીમદ્ રાજચંદ્ર


આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો તે આપણી જાત છે.
–લાઈટૉન

દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહિ, પણ દિલમાં શું હતું એ જોવાનું છે.
–ફાધર વાલેસ


--
Nishant Gor
Bhuj Kutch
Contact +91 9879554770
www.kachchh.webs.com
www.kutchastronomyclub.blogspot.com
www.nishantgor.blogspot.com
www.kutchtour.blogspot.com


¨`•.•´¨) Always
`•.¸(¨`•.•´¨) Keep
(¨`•.•´¨)¸.•´ Smiling!
`•.¸.•´

Friday, December 18, 2009

काँच की बरनी और दो कप चाय...!!!




**काँच की बरनी और दो कप चाय **


एक बोध कथा

जीवन में जब सब कुछ एक साथ और जल्दी - जल्दी करने की इच्छा होती है , सब कुछ तेजी 
से पा लेने की इच्छा होती है , और हमें लगने लगता है कि दिन के चौबीस घंटे भी कम 
पड़ते हैं , उस समय ये बोध कथा , " काँच की बरनी और दो कप चाय " हमें याद आती 
है । 

दर्शनशास्त्र के एक प्रोफ़ेसर कक्षा में आये और उन्होंने छात्रों से कहा कि वे 
आज जीवन का एक महत्वपूर्ण पाठ पढाने वाले हैं ... 

उन्होंने अपने साथ लाई एक काँच की बडी़ बरनी ( जार ) टेबल पर रखा और उसमें टेबल 
टेनिस की गेंदें डालने लगे और तब तक डालते रहे जब तक कि उसमें एक भी गेंद समाने 
की जगह नहीं बची ... उन्होंने छात्रों से पूछा - क्या बरनी पूरी भर गई ? हाँ ... 
आवाज आई ... फ़िर प्रोफ़ेसर साहब ने छोटे - छोटे कंकर उसमें भरने शुरु किये h धीरे 
-
धीरे बरनी को हिलाया तो काफ़ी सारे कंकर उसमें जहाँ जगह खाली थी , समा गये , फ़िर 
से प्रोफ़ेसर साहब ने पूछा , क्या अब बरनी भर गई है , छात्रों ने एक बार फ़िर हाँ 
...
कहा अब प्रोफ़ेसर साहब ने रेत की थैली से हौले - हौले उस बरनी में रेत डालना 
शुरु किया , वह रेत भी उस जार में जहाँ संभव था बैठ गई , अब छात्र अपनी नादानी पर 
हँसे ... फ़िर प्रोफ़ेसर साहब ने पूछा , क्यों अब तो यह बरनी पूरी भर गई ना ? हाँ
..
अब तो पूरी भर गई है .. सभी ने एक स्वर में कहा .. सर ने टेबल के नीचे से 
चाय के दो कप निकालकर उसमें की चाय जार में डाली , चाय भी रेत के बीच स्थित 
थोडी़ सी जगह में सोख ली गई ... 

प्रोफ़ेसर साहब ने गंभीर आवाज में समझाना शुरु किया – 


इस काँच की बरनी को तुम लोग अपना जीवन समझो .... 

टेबल टेनिस की गेंदें सबसे महत्वपूर्ण भाग अर्थात भगवान , परिवार , बच्चे , मित्र 
,
स्वास्थ्य और शौक हैं

छोटे कंकर मतलब तुम्हारी नौकरी , कार , बडा़ मकान आदि हैं , और 

रेत का मतलब और भी छोटी - छोटी बेकार सी बातें , मनमुटाव , झगडे़ है .. 
अब यदि तुमने काँच की बरनी में सबसे पहले रेत भरी होती तो टेबल टेनिस की 
गेंदों और कंकरों के लिये जगह ही नहीं बचती , या कंकर भर दिये होते तो गेंदें नहीं 
भर पाते , रेत जरूर आ सकती थी ... 
ठीक यही बात जीवन पर लागू होती है ... यदि तुम छोटी - छोटी बातों के पीछे 
पडे़ रहोगे और अपनी ऊर्जा उसमें नष्ट करोगे तो तुम्हारे पास मुख्य बातों के लिये अधिक समय नहीं रहेगा ... मन के सुख के लिये क्या जरूरी है ये तुम्हें तय करना है । अपने 
बच्चों के साथ खेलो , बगीचे में पानी डालो , सुबह पत्नी के साथ घूमने निकल जाओ
घर के बेकार सामान को बाहर निकाल फ़ेंको , मेडिकल चेक - अप करवाओ ... टेबल टेनिस 
गेंदों की फ़िक्र पहले करो , वही महत्वपूर्ण है ... पहले तय करो कि क्या जरूरी है 
...
बाकी सब तो रेत है .. 

छात्र बडे़ ध्यान से सुन रहे थे .. अचानक एक ने पूछा , सर लेकिन आपने यह 
नहीं बताया 
कि " चाय के दो कप " क्या हैं ? प्रोफ़ेसर मुस्कुराये , बोले .. मैं सोच ही 
रहा था कि अभी तक ये सवाल किसी  ने क्यों नहीं किया ... 
इसका उत्तर यह है कि , जीवन हमें कितना ही परिपूर्ण और संतुष्ट लगे , लेकिन 
अपने खास मित्र के साथ दो कप चाय पीने की जगह हमेशा होनी चाहिये । 

( अपने खास मित्रों और निकट के व्यक्तियों को यह विचार तत्काल बाँट दो .. मैंने 
अभी - अभी यही किया है


    
 




--
Nishant Gor
Bhuj Kutch
Contact +91 9879554770
www.kachchh.webs.com
www.kutchastronomyclub.blogspot.com
www.nishantgor.blogspot.com
www.kutchtour.blogspot.com


¨`•.•´¨) Always
`•.¸(¨`•.•´¨) Keep
(¨`•.•´¨)¸.•´ Smiling!
`•.¸.•´

Monday, November 9, 2009

દિવાળી

દિવાળી (અથવા દિપઆવલી , ઘણી વાર દીપાવલી લખાય છે એ હિન્દુ ધર્મ, શીખ ધર્મ, બુદ્ધ ધર્મ, અને જૈન ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે અને આ દિવસે સમગ્ર ભારતમાં જાહેર રજા હોય છે.[૧]માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતિકરૂપે તેઓ માટીના નાનકડા કોડિયામાં રૂની દિવેટ બનાવીને મૂકેલા દીવામાં કોપરેલ ભરીને તેને પ્રગટાવે છે.
દિવાળીનો પાંચ દિવસનો ઉત્સવ નવા ચંદ્રના ઉદયની સાથે ઓક્ટોબર 13 અને નવેમ્બર 14ની વચ્ચે આવે છે. હિન્દુ કેલેન્ડર પર તેને અશ્વિન મહિનાના અંતમાં અને કારતક મહિનાની શરૂઆતમાં નવા ચંદ્ર દિવસમાં ગોઠવવામાં આવેલ છે, અશ્વિન મહિનાના અંધારિયા પખવાડિયાના 13મા દિવસથી તે શરૂ થાય છે (અશ્વિનની 28મી તિથિ) અને કાતરક મહિનાના અજવાળિયા પખવાડિયાના બીજા દિવસે (કારતકની બીજી તિથિ)તે પૂરી થાય છે. ઉજવણીના મુખ્ય દિવસોમાં પ્રાદેશિક વૈવિધ્ય છે.
ભારત અને નેપાળના ઘણા વિસ્તારોમાં હિન્દુ માન્યતા અનુસાર 14 વર્ષના વનવાસ બાદ રામના આગમન અને રાવણ પરના તેમના વિજયની ઉજવણીનું આ પર્વ છે. સમય જતાં આ શબ્દ હિન્દીમાં દિવાળી અને નેપાળીમાં દિપાવલીમાં ફેરવાઈ ગયો, પરંતુ આજે પણ ભારતની દક્ષિણ અને પૂર્વની ભાષાઓમાં હજુ પણ આ શબ્દ તેના મૂળસ્વરૂપે જળવાયો છે.
જૈન ધર્મમાં દિવાળી એ 15 ઓક્ટોબર, 527 ઈસ.પૂર્વે મહાવીર દ્વારા મેળવવામાં આવેલા નિર્વાણનું પ્રતિક છે.
છઠ્ઠા શીખ ગુરુ ગુરુ હર ગોબિંદ જી (1595-1644)ને બાદશાહ જહાંગીરે અન્ય 56 હિન્દુ રાજાઓની સાથે ગ્વાલિયરના કિલ્લામાં બંદી બનાવ્યા હતા, તેમને મુક્ત કરાય પરત આવ્યા ત્યારથી તેમની યાદમાં શીખ ધર્મમાં અમૃતસર શહેરને ઝગમગાવવામાં આવે છે અને ત્યારથી દિવાળી મહત્ત્વ ધરાવે છે.અન્ય કેદીઓને મુક્ત કર્યા બાદ તેઓ પવિત્ર શહેર અમૃતસરમાં આવેલ દરબાર સાહિબ (સુવર્ણ મંદિર) ગયા હતા અને ત્યાં લોકોએ મીણબત્તીઓ અને દીવડાઓ પ્રગટાવીને ગુરુને ઉમળકાભેર આવકાર આપ્યો હતો. આ કારણથી શીખો દિવાળીને બંદી છોડ દિવસ- "કેદમાં પૂરાયેલા લોકોની આઝાદીનો દિવસ" પણ કહે છે.
હિન્દુ બહુમતી ધરાવતા દેશ નેપાળના બૌદ્ધધર્મીઓમાંથી નેવાર બૌદ્ધધર્મીઓ પણ આ તહેવાર ઉજવે છે.
ભારત અને નેપાળમાં હવે દિવાળીને રાષ્ટ્રીય તહેવાર ગણવામાં આવે છે અને ધર્મ-સંપ્રદાયના ભેદભાવ વગર નેપાળ અને ભારતના મોટાભાગના લોકો આ તહેવારના ધાર્મિક મહાત્મ્યનો લાભ મેળવે છે.
દિવાળીના પર્વ પર તેલના દીવા.
દિપઆવલી નો અર્થ થાય છે દીવડાઓની હારમાળા (સંસ્કૃત દિપ = દીવડો અને આવલી = હારમાળા, હાર). ઘણી આધુનિક ભાષાઓમાં અને ખાસ કરીને ઉત્તર ભારતમાં તેને દિવાળીના ટૂંકા નામથી ઓળખવામાં આવે છે.
વિવિધ સમુદાયો દિવસોની સંખ્યાને અલગ પાડવા માટે કિધાની ઉજવણી કરે છે.ભારત અને નેપાળમાં મુખ્ય દિવસો સરખા હોવા છતાં અને એક સાથે જ આવતા હોવા છતાં તેઓ અલગ-અલગ ગ્રેગેરિયન મહિનાઓમાં આવે છે, જેનો આધાર જે-તે વિસ્તારમાં પ્રચલિત હિન્દુ પંચાંગની આવૃત્તિ પર રહેલો છે. હિન્દુ પંચાંગની અમંતા ("નવા ચંદ્રનો અંત") આવૃત્તિનો રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે. દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રમાં પ્રચલિત આ પંચાંગ મુજબ અશ્વિન મહિનાના છેલ્લા ચાર દિવસ અને કારતક મહિનાના શરૂઆતના બે દિવસો દરમિયાન, આમ કુલ છ દિવસ સુધી તહેવાર ઉજવવામાં આવે છે.ઉત્તર ભારતમાં પ્રચલિત પૂર્ણિમાંતા ("પૂર્ણ ચંદ્રનો અંત") આવૃત્તિ મુજબ તે અશ્વાયુજા/અશ્વિન મહિનાની મધ્યમાં આવે છે. ગ્રેગેરિયન કેલેન્ડર મુજબ તે સામાન્ય રીતે ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં આવે છે. નેપાળમાં નેપાળી પંચાંગ મુજબ તેની ઉજવણી કરાય છે. આ તહેવાર નેપાળી વર્ષના છેલ્લા ત્રણ દિવસો અને પ્રથમ બે દિવસ દર્શાવે છે.
અયોધ્યા,પુષ્પક વિમાનમાં તેમને ઉડીને જતા દર્શાવતો દિવસ, આ દિવસ હવે દિવાળી તરીકે ઉજવાય છે અસત પર સતના વિજયને પ્રદર્શિત કરતો આ તહેવાર અંતરના અંધકારને ઉલેચવાનો દિવસ પણ છે.રામાયણમાં દર્શાવ્યુ છે તે મુજબ પ્રતિકાત્મક સંદર્ભે તે સદગુણો અને શ્રદ્ધાના ગૃહ આગમનને દર્શાવે છે.
દિવાળીના દિવસે ઘણાં લોકો નવા કપડાં પહેરે છે અને એકબીજાને મિઠાઈ તથા ફરસાણો ખવડાવે છે.કેટલાક ઉત્તરભારતીય વેપારી સમુદાયો દિવાળીના દિવસે તેમના નાણાકીય વર્ષનો પ્રારંભ કરે છે અને નવા ચોપડા શરૂ કરે છે.
આની સાથે હિન્દુઓની ઘણી મહત્વની ઘટનાઓ સંકળાયેલી છે:
રામનું અયોધ્યા આગમન :વનવાસ અને યુદ્ધમાં રાવણના મૃત્યુ પછી 14 વર્ષે અયોધ્યાના રાજા રામ પોતાની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફર્યા તેની ખુશીમાં પણ દિવાળી ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અંધકારભર્યા માર્ગમા પ્રકાશ પાથરવા માટે અયોધ્યાના લોકોએ ઘીના દીવા કર્યા હતા. દક્ષિણ ભારતમાંથી રામે પોતાના ઉત્તર ભારતમાં તેમના રાજ્ય તરફ મુસાફરી કરી હોવાથી તેઓ પહેલા દક્ષિણમાંથી પસાર થયા હતા.આ કારણથી દક્ષિણ ભારતમાં આ તહેવાર એક દિવસ વહેલો ઉજવાય છે.
નરકાસુરનો વધ : દિવાળીના એક દિવસ પહેલા ઉજવાતો નરક ચતુર્દશીનો દિવસ અત્યાચારી રાક્ષસ નરકાસુરનો વધ કૃષ્ણના પત્ની સત્યભામાએ કર્યો હતો. આ ઘટના કૃષ્ણના અવતાર સમયે દ્વાપર યુગમાં બની હતી. અન્ય એક કથા મુજબ, રાક્ષસને કૃષ્ણએ માર્યો હતો ( કૃષ્ણએ પત્ની સત્યભામાને ઈન્દ્રને હરાવવા નર્શને મારવા ઉશ્કેર્યા હતા: ગોવર્ધન પૂજા દિવાળીના એક દિવસ બાદ ઉજવાય છે. આ દિવસે કૃષ્ણએ વરસાદ અને વીજળીના દેવતા ઈન્દ્રને હરાવ્યા હતા. કથા મુજબ, ભગવાન ઈન્દ્રની વાર્ષિક પૂજા માટેની મોટી તૈયારીઓ કૃષ્ણએ જોઈ અને તેમણે આ અંગે પિતા નંદને પ્રશ્ન પૂછ્યા.ગ્રામજનો સાથે તેમણે સાચા ‘ધર્મ’ અંગે ચર્ચા કરી. તેઓ ખેડૂત હતા અને તેમણે કૃષિ તથા પશુધનના રક્ષણ પર ધ્યાન આપવું જોઈએ અને પોતાની ફરજ નિભાવવી જોઈએ. તેઓ સતત એવું કહેતા હતા કે દરેક મનુષ્યએ પોતાની ક્ષમતા મુજબ શ્રેષ્છ રીતે પોતાનું 'કર્મ' કરવું જોઈએ અને કુદરતના તત્વોને પ્રાર્થના કરવી જોઈએ નહિ. ગ્રામજનો કૃષ્ણ સાથે સંમત થઈ ગયા અને વિશેષ પૂજા (પ્રાર્થના) કરી નહિ.આનાથી ઈન્દ્ર ગુસ્સે ભરાયા અને ગામમાં પૂર લાવી દીધું.ત્યાર બાદ કૃષ્ણે ગોવર્ધન પર્વત ઊંચકી લીધો અને તેમના લોકો તથા પશુઓને વરસાદથી બચાવવા માટે તેને પકડી રાખ્યો. આખરે ઈન્દ્રએ પોતાનો પરાજય સ્વીકાર્યો અને કૃષ્ણની સર્વોચ્ચતાને સ્વીકારી.

Thursday, September 17, 2009

આવી આપણી નવરાત્રી








નોરતામાં ઉપવાસ

નવરાત્રિ આવે એટલે મોટા ભાગની બહેનો ઉપવાસ કે એકટાણું કરે છે. આ પાછળનો
તેમનો હેતુ ધાર્મિક તો હોય છે જ, પણ તે સાથે ડાયટિંગ પણ થઇ જાય એવી ઈચ્છા
અંદરખાને ધરાવતી હોય છે. વળી, રાતે ગરબા રમવા જવાનું તો નક્કી જ હોય.
ત્યારે ઘણાંને એસિડિટી, ચક્કર આવવાં જેવી સમસ્યા પરેશાન કરે છે. આવું ન
બને અને નવરાત્રિની મજા ન બગડે એ માટે થોડી કાળજી રાખવી સારી...

નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરવા એ જાણે ફેશન બની ગઇ છે. બહેનો ઉપવાસ કે
એકટાણું કરે છે અને ઉપવાસ કર્યા પછી પણ ગરબા રમવા તો જવાનું હોય જ.
કેટલીક બહેનો નકોરડા (કંઇ પણ ખાધા વિના) ઉપવાસ કરતી હોય છે. આ રીતે ઉપવાસ
કરીને તેઓ માને છે કે ડાયટિંગ પણ સાથે થઇ જાય. નવરાત્રિ દરમિયાન વધારે
પડતા નકોરડા ઉપવાસ ન કરવા જોઇએ. ધાર્મિક દ્દષ્ટિએ પણ ઉપવાસ કરતાં હો, તો
પણ શરીરની જરૂરિયાત પ્રમાણે જોઇતો પોષક ખોરાક તો લેવો જ જોઇએ.

ઉપવાસમાં ખાસ ઘ્યાન તો પાણી પીવાનું રાખવું જોઇએ. બહેનો ઉપવાસ કરીને પાછી
મોડી રાત સુધી ગરબા રમે એટલે કયારેક લો-સુગર થવાની શકયતા રહે છે. આથી જો
તમે પણ નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરતાં હો, તો આહાર અંગે કાળજી રાખવી ઘણી જ
જરૂરી છે. જો તમે એકટાણું કરતાં હો, તો સવારે રોટલી, દાળ, ભાત, શાક ખાઇ
લેવા અને સાંજે ગરબા રમવા જતાં પહેલાં દૂધ, એકાદ કેળું અથવા કોઇ પણ
બે-ત્રણ નંગ ફ્રૂટ ખાઇને જવું. દિવસ દરમિયાન ૧૨-૧૫ ગ્લાસ પાણી પીવું
જોઇએ.

સાંજના સમયે ફકત દૂધ અને ફ્રૂટ ન લેતાં દૂધની ખીર, સાબુદાણાની ખીર વગેરે
ખાઇ શકાય છે. ઘી વગર ફકત ગોળ(કેમિકલ વિનાના)ની બનાવેલી જુદી જુદી ચિકી
જેમ કે, ડ્રાયફ્રૂટ ચિકી, તલની ચિકી, સીંગની ચિકી ખાવાથી પણ શકિત રહે છે.
ગરબા રમવામાં સ્ટેમિના જળવાય છે અને શરીર હળવું રહે છે.

આ ઉપરાંત, બાફેલાં બટાકાં કે શક્કરિયાં એકાદ નંગ અને દહીં પણ ખાઇ શકાય
છે. ઉપવાસ દરમિયાન ઓછામાં ઓછું એક કેળું તો ખાવું જ જોઇએ. દૂધનો માવો અને
વધારે પડતી મીઠાઇ ખાવાને બદલે મલાઇ વિનાના દૂધમાંથી પનીર બનાવી તેમાં
થોડી ખાંડ ભેળવી, ફ્રૂટ નાખી સંદેશ બનાવીને ખાઇ શકાય. જેથી શકિત મળવાની
સાથે વધારાની ચરબીને દૂર રાખી શકાય છે.

દિવસ દરમિયાન છાશ, લીંબુપાણી અને ફળોનો ઉપયોગ બરાબર કરવો જેથી અશકિત ન
આવી જાય અને ઉપવાસ પણ થઇ જાય. પાણી વધારે પીવાથી ચહેરા પરની ચમક સારી રહી
શકે છે. ફળોનો જયૂસ પીવાથી પણ ચહેરા પરની ચમક જળવાઇ રહે છે.

રાતના સમયે વધારે પડતી વેફર્સ અથવા તળેલા ફરાળી નાસ્તા કે મીઠાઇ ખાવાને
બદલે પોષક ખોરાક ખાવાનો આગ્રહ રાખવો જોઇએ. જેમ કે, જાતજાતના ફળ અથવા ઓછા
તેલવાળી આલુચાટ કે સાબુદાણાની ખીચડી ખાઇ શકાય છે. કોલ્ડ ડ્રિંક્સ પીવાને
બદલે ઠંડું પાણી અથવા ફ્રૂટજયૂસ પીવાનું વધારે સારું રહે છે.

નવરાત્રિ દરમિયાન મોટા ભાગે લોકો આખી રાત ગરબા ગાય છે. ઉપવાસ ન કરતાં હો,
તો આ દરમિયાન ખોરાક બમણો જ થઇ જાય છે. યુવાન પેઢી તો રાતે મોડેથી સૂઇ જાય
છે અને સવારે તો જમવાના સમયે જ જાગે એટલે સવારે નાસ્તો-પાણી કે ફ્રૂટ
ખાવાનો મેળ પડતો જ નથી. જમવાનો જ સમય થઇ જાય પછી બપોરના સમયે નાળિયેર
પાણી, લીંબુ શરબત વગેરે બરાબર પીવાનું રાખવું. રાતે ગરબા રમ્યા પછી દરેક
વ્યક્તિ બહારના નાસ્તા કરવા તરફ વળી જાય છે, પણ તે સમયે જો ખાવાપીવાનું
ઘ્યાન રાખવામાં આવે તો વધુ પડતા ગેસ, એસિડિટી વગેરે તકલીફને દૂર રાખી
શકાય છે.

જો તમે ઉપવાસ ન કરતાં હો તો પણ ગરબા ગાવા જતાં પહેલા થોડો હળવો ખોરાક
ખાવો. જેમ કે, દૂધપૌઆ, દૂધ સીરીયલ અથવા સાદા થેપલાં, દહીં વગેરે ખાઇને
થોડા હળવા થઇ જવાથી વધારે સમય ગરબા ગાઇ શકાશે. સાથે પાણી અવશ્ય પીવાનું
રાખવું. ગરબા રમવા દરમિયાન પરસેવા દ્વારા શરીરમાંથી ઘણું મીઠું ઓછું થઇ
જતું હોય છે.

આવા સમયે ખાંડ-મીઠું નાખેલું લીંબુનું શરબત, શેરડીનો અથવા અન્ય ફળોનો રસ
પણ લઇ શકાય. વધુ પડતાં ભજીયાં કે ભાજીપાઉ ખાવાને બદલે ફ્રૂટજયૂસ અથવા
કોલ્ડ કોફી પીવા વધુ હિતાવહ છે. રાતે ઘરે આવીને ફકત દૂધ પી લેવાથી પણ
સારું રહે છે અને એસિડિટી જેવી સમસ્યાને દૂર રાખી શકાય છે.

ગરબા રમવા એ કસરત જેવુ છે, પણ પોષણ વિનાનો ખોરાક ખાઇને ગરબા રમવાનું
યોગ્ય નથી. આખી રાતનો ઉજાગરો કરવા સાથે આડેધડ બહારનું ખાવાથી તબિયત બગડે
છે. ગેસ, એસિડિટી, અપચો જેવી તકલીફો કાયમ માટે શરીરમાં ઘર કરી જાય છે.
આથી તહેવારોની ઉજવણીમાં સારા કપડાં પહેરીને સુંદર દેખાવાની સાથે બહારના
ખોરાકથી બને એટલા દૂર રહેવાનો પ્રયત્ન કરવો જોઇએ. અત્યારે નાના બાળકોમાં
સ્થૂળતાનું પ્રમાણ વધી રહ્યું છે.

તેનું કારણ પણ મોટાઓએ નાના બાળકોને પાડેલી આડેધડ ખાવાની આદત જ જવાબદાર
છે. મા-બાપ જે કરશે તેનું અનુકરણ બાળકો તો કરવાનાં જ. માતા-પિતાએ એક વાત
સમજવા જેવી છે કે જો તમે બાળકોને પ્રેમ કરતાં હો, તો તેમને તમારો કિંમતી
સમય આપો અને તેમને અડધી રાતે બહાર જમાડવામાં પ્રેમ વધી નથી જતો. તમે
તંદુરસ્ત રહો અને બાળકોને તંદુરસ્ત રહેવાનું શિક્ષણ આપો. ગરબામાં તેમને
લઇ જતાં પહેલા સવારે જ સમજાવી દો કે જો આજે વ્યવસ્થિત ભોજન કરીશ તો જ
સાંજે ગરબા રમવા માટે જવાશે.

ગરબા રમવા માટે બાળકોને સાથે લઇ ગયા પછી પણ હળવો ખોરાક જેમ કે, સેન્ડવિચ
અથવા ફ્રૂટજયૂસ લેવા માટે જ પ્રેરિત કરો. તળ્યા વિનાના નાસ્તા જેવા કે,
ઇડલી-સંભાર, ઢોસા વગેરે સોયાતેલમાં બનાવીને ખાઇ શકાય છે. આ રીતે નવરાત્રિ
દરમિયાન તમે ઉપવાસ કરતાં હો કે ન કરતાં હો, સ્ફૂર્તિથી ગરબા રમવા માટે
અને તમારી ફિટનેસ જળવાઇ રહે એ માટે ઉપર જણાવેલી બાબતોનો ખ્યાલ રાખવો
જરૂરી છે.







--
Nishant Gor
Bhuj Kutch
Contact +91 9428220471
www.kachchh.webs.com
www.kutchastronomyclub.blogspot.com
www.nishantgor.blogspot.com
www.kutchtour.blogspot.com


¨`•.•´¨) Always
`•.¸(¨`•.•´¨) Keep
(¨`•.•´¨)¸.•´ Smiling!
`•.¸.•´

Monday, September 7, 2009

My Kachchh Panjo Kutch - Home

My Kachchh Panjo Kutch - Home

Shared via AddThis

સૃષ્ટીના રચયીતા By Sapan Shah


એક વાર સૃષ્ટીના રચયીતા મારા પર પ્રસન્ન થયા
"સપન, માંગ... માંગ... માંગે તે આપું.."
મે કહ્યુ "તમારી સૌથી સુંદર રચના બનાવીને આપો."
તરત જ એમણે કામ શરૂ કર્યું.....

ધરતી પાસેથી એમણે ગંભીરતા લીધી
અને ઝરણા પાસેથી ચંચળતા...
કોયલ પાસેથી એમણે કંઠ લી઼ધો
અને હંસ પાસેથી સુંદરતા...
સુર્ય પાસેથી એનો ઉજાસ લીધો
અને ચંદ્ર પાસેથી શીતળતા....
મોર પાસેથી એમણે કળા લીધી
અને ફુલ પાસેથી કોમળતા....
સાગર પાસેથી એમણે ગહેરાઈ લીધી
અને હિમાલય પાસેથી ઉત્તુંગતા....
પવન પાસેથી એમણે પ્રેમ લીધો
અને મદીરા પાસેથી મદહોશતા....
વૃક્ષ પાસેથી એમણે સાધના લીધી
અને ડાળીઓ પાસેથી લચકતા....
ભમરા પાસેથી એમણે ગુંજન લીધુ
અને બુલબુલ પાસેથી શરમાળતા...

આ બધાને ઉમેરી રચયીતાએ એક ભેટ તૈયાર કરી...
અને જુઓ... મિત્ર તરીકે તમે મને મળી ગયા....

Kavi Shree Sapan Shah
--
Nishant Gor
Bhuj Kutch
Contact +91 9428220471
www.kachchh.webs.com
www.kutchastronomyclub.blogspot.com
www.nishantgor.blogspot.com
www.kutchtour.blogspot.com

¨`•.•´¨) Always
`•.¸(¨`•.•´¨) Keep
(¨`•.•´¨)¸.•´ Smiling!
`•.¸.•´

Tuesday, August 25, 2009

વિચાર કરાવે એવી વાત

વિચાર કરાવે એવી વાત

એક સિગારેટ સળગતી હતી

એક અગરબત્તી સળગતી હતી.

ઘટના એક સરખી જ છે.

બંન્ને સળગે છે.


બંન્ને એના સળગાવનાર ને આનંદ આપે છે.

બંન્ને આદત છે.
બંન્ને વ્યસન છે.

છતાં...

છતાં...


બંન્ને ની સમાજ પર અસર ભિન્ન ભિન્ન પડે છે.

કારણ ??????

બંન્ને ની બનાવટ અને પદાર્થો અલગ અલગ છે.

બંન્ને ની રચના પાછળ હેતુ અલગ છે.

એક બાળે છે.

એક અજવાળે છે.

એક તરફ નફરત છે.

એક તરફ આસ્થા છે.

શું જોઇએ છે હવે???? એ આપના સંસ્કાર પર નિર્ભર છે.



શુભેચ્છા સહ

--
Nishant Gor
Bhuj Kutch
Contact +91 9428220471
www.kutchastronomyclub.blogspot.com
www.nishantgor.blogspot.com
www.kutchtour.blogspot.com


¨`•.•´¨) Always
`•.¸(¨`•.•´¨) Keep
(¨`•.•´¨)¸.•´ Smiling!
`•.¸.•´

Monday, August 24, 2009

બા, મને ચપટી વગાડતાં આવડી ગઈ.

બા, મને ચપટી વગાડતાં આવડી ગઈ.

મારી ચપટી વાગે છે પટ પટ પટ,
જાણે ફૂટે બંદૂકડી ફટ ફટ ફટ,
પેલી બિલ્લી ભાગે છે ઝટ ઝટ ઝટ.
બા, મને બિલ્લી ભગાડતાં આવડી ગઈ.

તું કપડાં ધુએ ભલે ધબ્બ ધબ્બ ધબ્બ,
હું પાણીમાં નહીં કરું છબ્બ છબ્બ છબ્બ,
મારી ચપટી ભીંજાઈ જાય ડબ્બ ડબ્બ ડબ્બ.
બા, મને મુન્ની રમાડતાં આવડી ગઈ.

બા, મને ચપટી વગાડતાં આવડી ગઈ.

-રમેશ પારેખ


--
Nishant Gor
Bhuj Kutch
Contact +91 9428220471
www.kutchastronomyclub.blogspot.com
www.nishantgor.blogspot.com
www.kutchtour.blogspot.com


¨`•.•´¨) Always
`•.¸(¨`•.•´¨) Keep
(¨`•.•´¨)¸.•´ Smiling!
`•.¸.•´

Saturday, August 22, 2009

એક પૂરી કરો એષણાં ને બીજી બળવંત બને, તેમ પણ થાય - -પ્રવિણ

એક પૂરી કરો એષણાં ને બીજી બળવંત બને, તેમ પણ થાય
અંધકાર ને ઓગળવા જાવને બળો તમે, તેમ પણ થાય

માણસ-માણસ વચ્ચે રાખો વિશ્વાસ
ને લાગ જોઈ મિત્ર જ ઘા કરે, તેમ પણ થાય

રાખો વિશ્વાસ છલોછલ તમારી જાત પર
ને પવન આપોઆપ દિશા બદલે, તેમ પણ થાય

શૈતાન ના દિમાગમાં જગાવો માણસાઈ
ને નારિયેળ ના કાચલાં માંથી આંસુ પીગળે, તેમ પણ થાય

તમે છત વાળા ઘરમાં બેસી, મજા લો અનરાધાર વરસાદની
ને ઝૂંપડામાં વરસાદ સાથે આંખો એ વરસે, તેમ પણ થાય

જીવનમાં સંઘર્ષ ના તૂફાનમાં તણાઈ જાવ
ને કદીક મોંજાઓ જ લાવી દે કિનારે, તેમ પણ થાય

વેંત છેટાં હો તમે સફળતાથી
ને તક ચૂકી જતાં નિષ્ફળતા મળે, તેમ પણ થાય

માનવ ઉત્થાન માટે ઝંડો ફરકાવીને ફરો 'પ્રવિણ'
ને તેનું ફીડલું વાળવાં ઘણાં બેઠા હોય, તેમ પણ થાય

-પ્રવિણ કે.શ્રીમાળી

-- 

Nishant Gor
Bhuj Kutch
Contact +91 9428220471
www.kutchastronomyclub.blogspot.com
www.nishantgor.blogspot.com
www.kutchtour.blogspot.com


¨`•.•´¨) Always
`•.¸(¨`•.•´¨) Keep
(¨`•.•´¨)¸.•´ Smiling!
`•.¸.•´

Tuesday, August 18, 2009

નાની મારી આંખ

નાની મારી આંખ એ જોતી કાંક કાંક એ તો કેવી અજબ જેવી વાત છે?

.

પગ મારા નાના એ ચાલે છાના માના એ તો કેવી અજબ જેવી વાત છે?
.

નાક મારુ નાનુ એ સુંઘે ફુલ મજાનુ એ તો કેવી અજબ જેવી વાત છે?
.

નાના મારા કાન એ સાંભળૅ દઈ ધ્યાન એ તો કેવી અજબ જેવી વાત છે?
.

નાના મારા હાથ એ તાળી પાઙે સાથ એ તો કેવી અજબ જેવી વાત છે?


-- 
Nishant Gor
Bhuj Kutch
Contact +91 9428220471
www.kutchastronomyclub.blogspot.com
www.nishantgor.blogspot.com
www.kutchtour.blogspot.com